કાલોલ તાલુકાના બેઢિયા ગામના સરપંચ પરિવાર દ્વારા 31 ઉપરાંત ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

તારીખ ૨૭/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામના સરપંચ દિવ્યાબેન વીરેન્દ્રસિંહ ચૌહાણ ના સહપરિવાર દ્વારા ૩૧ ઉપરાંત ગણેશજી ની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંરપચ પરિવારજનો દ્વારા મૂર્તિઓ વિતરણનો મુખ્ય હેતુ ગણેશ મહોત્સવના પર્વને લઈ ગણેશજીની પૂજા- અર્ચના કરી સૌ ભક્તજનો ભક્તિભાવ પૂર્વક વિધ્નહર્તા ગણેશજીના આશીર્વાદ સાથે સમગ્ર ગામમાં સુખાકારી જળવાઈ રહે અને સૌ કોઈ સુખી સમૃદ્ધ જીવન ગુજારે અને તંદુરસ્ત રહે તેવી ભાવના થી બેઢીયા ગામમા ૩૧ વધુ ગણપતિ બાપા ની મૂર્તિ નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વીરેન્દ્રસિંહ નરવતસિંહ ચૌહાણ સહિત સમસ્ત સંરપચ પરિવાર ઉપસ્થિત રહી ગામના તમામ યુવક મંડળો ને ગણેશ ઉત્સવ નિમિત્તે પૂજન અર્ચન અને ભક્તિભાવ પૂર્વક દુંદાળા દેવની આરાધના કરવા માટે તેઓના હસ્તે ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરાયું હતું જ્યાં પૂર્વ સરપંચ સ્વ.નટુભાઈ દ્વારા મૂર્તિ વિતરણની પરંપરા ચાલુ કરવામાં આવી હતી.જે આજે પણ તેમના પરીવાર દ્વારા જાળવી રાખવામાં આવી છે.










