AMRELIGUJARATRAJULA

રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠનના યુવાનો દ્વારા અનોખું પ્રેરણાદાયિક કાર્ય

શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કોઈપણ પ્રશંસા વગર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

26 દીવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે 40 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું

રાજુલા શહેરમાં બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત પરશુરામ જયંતિના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને અન્ય સમાજને પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 26 લોકોના આત્માઓના શાંતિ માટે અને શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસના મોક્ષાર્થે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ યુવાનો દ્વારા એક પણ પોતાની પ્રસિદ્ધિનું બેનર માર્યા વગર તેના આત્માને શાંતિ અર્થે રક્તદાન કેમ્પ કર્યું હતું જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાજરી આપી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

આજરોજ પરશુરામ જયંતિ નિમિતે તેમજ સ્વ શિવમ ભરતભાઈ વ્યાસ અને જ્યોતિબેન ભરતભાઈ વ્યાસ ના સ્મરણાર્થે,જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા જીવાત્માના શાંતિ અર્થે બ્રહ્મસમાજ યુવા સંગઠન રાજુલા અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ મહુવાના સૌજન્ય દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના અનેક મહાનુભાવો વેપારી અગ્રણી ઓ શહેર ના આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સ ના આગેવાનો યુવરાજભાઈ ચાંદુ તેમજ બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓ યુવાનો સહિત ના આગેવાનોએ હાજરી આપી હતી.

જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ જીવાત્માના આત્માના શાંતિ માટે મૌન પાળ્યું હતું.શ્રી પરશુરામ જયંતિ નિમિતે આવા ભગીરથ આયોજન બદલ સૌ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર બ્રહ્મ સમાજ ની યુવાનો ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી

Back to top button
error: Content is protected !!