GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીંગળી ગામે વણકર ફળિયા માં વીજપોલ તુટી પડતાં રહિશોમાં ગભરાહટ.
તારીખ ૦૭/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે વણકર ફળિયા માં છેલ્લા 6 મહિના પહેલા પણ એક અરજી જાગૃત નાગરિક દ્વારા વીજપોલ તુટી પડવાની સંભાવના છે જે જગ્યાએ નવો વીજપોલ નાખવા અરજી પણ કરેલ છે છતાં એમજીવિસીએલ ની કોઈ પ્રત્યુતર નથી વાવાઝોડા અને ભારે પવન ફૂકતા ઠેર ઠેર નુકશાન થયું છે ત્યારે વણકર ફળિયા માં એક વીજપોલ તુટી પડયો છે જ્યારે બીજાં બે વીજપોલ તુટી પડવા ની સંભાવના છે જો કાલોલ જી ઈ બી ના કર્મચાીઓ, અઘિકારીઓ લાગતાં વળગતા ખાસ ધ્યાન આપી આ વર્ષો જૂના 50 વર્ષ પહેલા ના વીજપોલ ની જગ્યાએ હવે નવા વીજપોલ નાખવામા આવે એવી રહિશો ની પણ માંગ છે જેમાં હાલ ત્રણ વીજપોલ થાભલા તાત્કાલિક નાંખવા ની જરુર છે જેથી તંત્ર સત્વરે ધ્યાન આપી કામ પુર્ણ કરે જોકે કોઈ જાન હાની થઈ નથી એ કુદરત ની રહેમ છે.