ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક બ્લડ ડેનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.10/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ભારતીય સેનાની મદદ માટે ઈમરજન્સીને ધ્યાને લઈ આજે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના માધ્યમથી સ્વૈચ્છિક 24 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિને જોતા તકેદારીના ભાગરૂપે હોસ્પિટલોમાં ઈમરજન્સીને ધ્યાને લઈ તા 09,05,2025 રોજ ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના માધ્યમથી શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક રબદાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 24 યુનિટ બોટલ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તળાવ ભરી પરિસ્થિતિ છે તેવામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરું આયોજન કરવું પણ જરૂરી છે બીજી તરફ આપણો જિલ્લો સરહદને નજીક આવતો હોય જેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રના આદેશથી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા શ્રદ્ધા બ્લડ બેન્ક ખાતે સ્વૈચ્છિક બ્લડ ડેનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 24 યુનિટ બ્લડ બોટલ ડોનેટ કર્યું હતું અને વધુમાં વધુ લોકો દેશપ્રેમ દેખાડી રક્તદાન વધુમાં વધુ નગરજનો સહભાગી બને તથા દેશની રક્ષા કરી રહેલા શૈનિકો માટે બ્લડ ડોનેટ કરી દેશભક્તિના આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી.