ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ એસ.ટી. ડેપો ખાતે એનાઉન્સમેન્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

આણંદ એસ.ટી. ડેપો ખાતે એનાઉન્સમેન્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

તાહિર મેમણ :05/04/2024- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટેનું મતદાન આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર છે, આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને જિલ્લામાં મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આણંદ એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસ આવવાના અને જવાના સમયે કરવામાં આવતા એનાઉન્સમેન્ટ બાદ તરત જ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન જરૂરથી કરવા મતદારોને અપીલ કરતું એનાઉન્સમેન્ટ કરી મતદારોને તેમની મતદાનની ફરજ નિભાવવા જાગૃત કરવામાં આવે છે. એસ.ટી. ડેપો ખાતે કરવામાં આવતા એનાઉન્સમેન્ટમાં મતદારોને તેમને પોતાને મતદાન અવશ્ય કરવા અને અન્ય મતદારોને પણ મતદાન કરવાનું કહેવાનો સંદેશો સતત માઈક દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે એસ.ટી. ડેપો ખાતે મુસાફરી અર્થે આવતા પ્રજાજનો અને બસની રાહ જોઈને ઊભા રહેલા મતદારો સુધી મતદાન કરવા અંગેનો સંદેશો પહોંચે છે.

ઉલ્લેખનિય છે કે, મતદાન જાગૃતિ અભિયાનના જિલ્લાના નોડલ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ એસ.ટી. ડેપોના સિનિયર મેનેજરશ્રી કમલેશ શ્રીમાળી દ્વારા એસ.ટી. ડેપો ખાતે મતદાન કરવાના દિવસે કોઈપણ મતદાર મતદાન કરવા થી બાકી ન રહી જાય તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે,આમ, એસટી ડેપોના કર્મચારી દ્વારા સવારના ૭-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન અને બપોર બાદ ૪-૦૦ કલાક થી ૬-૩૦ કલાકના પીક અવર્સ દરમિયાન મતદાન જાગૃતિ અર્થે દર ૩૦ મિનિટે એનાઉન્સમેન્ટ કરી આણંદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાર જાગૃતિના યજ્ઞકાર્યમાં સહભાગી બની રહયા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!