કવિતા નો આસ્વાદ માણનારાઓ કવિ અતુલ મહેતા ઉપર આફરીન કેમ છે??

—————- મળવાનું રહી ગયું ………………
ક્યારેક મિત્ર દૂર નથી થતો,
માત્ર મુલાકાતો ઓછી થઈ જાય છે,
વાત કરવાની ઈચ્છા તો બંનેની હોય,
પણ જિંદગીની દોડમાં પળો ખૂટી જાય છે.
એક કપ ચા સાથેની વાતો,
હાસ્યમાં વિતાવેલી એ સાંજ,
આજે યાદોના પાનાં બની ગઈ,
અને દિલમાં રહી ગઈ એક અધૂરી માંગ.
કેટલાંક મિત્રો સાથે રસ્તા લાંબા ચાલ્યા,
કેટલાંક તો થોડા વળાંકે જ છૂટી ગયા,
પણ જે દિલમાં સ્થાન બનાવી ગયા,
એ ક્યાં ક્યારેય દિલથી દૂર થયા?
સમય હતો ત્યારે મળ્યા નહીં,
અને મન હતું ત્યારે કહી શક્યા નહીં,
“ફરી ક્યારેક મળીશું” કહેતાં રહ્યા,
પણ એ ફરી ક્યારેકની ઘડી આવી નહીં.
એટલે આજે જ મિત્રને યાદ કરજો,
બે શબ્દો પ્રેમથી કહી લેજો,
સંબંધો માત્ર યાદોથી જીવતા નથી,
થોડો સમય આપીને પણ સાચવી લેજો.
કાલની ખાતરી કોઈ પાસે નથી,
આજની પળ જ આપણી સાચી દોલત છે,
મિત્રતા જો દિલથી મળી હોય,
તો એક મુલાકાત પણ આખી જિંદગીની યાદ બની રહે છે.
મિત્રો મળે છે નસીબથી,
પણ મિત્રતા ટકે છે સમય આપવાથી…
મળવાનું કાલ પર ન છોડશો,
કદાચ કાલ પાસે સમય જ ન હોય. ❤️
દર્દ અને દોસ્તી
દોસ્તી નો સંબંધ અજબ હોય છે,દૂર રહીને પણ દિલની નજીક હોય છે,
વાતો ભલે રોજ ન થાય,
પણ એક યાદ આવે એટલે આંખોમાં ભીનાશ હોય છે.
કેટલાક દોસ્તો રસ્તામાં મળે છે,અને સફરનો હિસ્સો બની જાય છે,
કેટલાક થોડો સમય સાથે રહે છે,પણ આખી જિંદગીની યાદ બની જાય છે.
દર્દ ત્યારે નથી થતો કે દોસ્ત દૂર છે,દર્દ તો ત્યારે થાય છે જ્યારેમળવાની ઈચ્છા હોવા છતાંમળવાનું કારણ અને સમય બંને ખૂટી જાય છે.
ક્યારેક મન કહે—
ચાલ, આજે એને મળીને આવીએ,પણ જિંદગી કહે
“આજે નહીં, પછી ક્યારેક…”અને એ “ક્યારેક” ઘણી વાર હાથમાંથી સરકી જાય છે.
મિત્રતા માટે મોટી ભેટની જરૂર નથી,બસ થોડો સમય અને બે શબ્દો પૂરતા છે,
“કેમ છો?” એટલું પણ પૂછાઈ જાય,
તો કેટલાય જૂના સંબંધો ફરી જીવતા થઈ જાય છે.
કેટલાક દોસ્તો હવે સાથે નથી,પણ એમની વાતો હજુ સાથે ચાલે છે,
હાસ્યની એ જૂની ક્ષણો યાદ આવે ત્યારેદર્દ પણ મીઠી યાદ બનીને આંખોમાં ઊતરે છે.
એટલે દોસ્તોને સાચવજો,
મળવાની તક મળે ત્યારે મળી લેજો,
કારણ કે જિંદગી ફરી તક આપશે કે નહીં,એનું વચન કોઈ આપી શકતું નથી.
દોસ્તી જીવતી હોય ત્યાં સુધી સમય આપજો,
પછી યાદોમાં સમય કાઢવાથી શું ફાયદો?
કેટલાક સંબંધોનું દર્દ એવું હોય છે,જેની દવા માત્ર એક મુલાકાત હોય છે… ❤️
આ કવિતાઓ લખનાર અતુલભાઈ મહેતા , નિવૃત કર્મચારી, રેવન્યુ વિભાગ …….
એ
એમના જીવનમાં કલાને વણી લીધી છે
કલા ન સાધક હોય ઉપાસક હોય
તો તે કલાને માનનારા પણ હોય છે તે જ કલાનો આસ્વાદ ચાખે છે
કવિ કલાપી ( સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ) ખેત કે
“કલા છે ભોજ્ય મીઠી, તે ભોક્તા વિણ કલા નહીં.”
ભોજ્ય = જે ભોજન/ઉપભોગ કરવા યોગ્ય હોય
ભોક્તા = તેનો ઉપભોગ કરનાર
વિણ = વગર
કલા નહીં = કોઈ અર્થ/મૂલ્ય નથી
કોઈ વસ્તુ કેટલીય સુંદર, ગુણવત્તાવાળી કે મીઠી હોય, પણ તેનો આનંદ માણનાર કે તેનો યોગ્ય ઉપયોગ કરનાર ન હોય તો તેની સુંદરતા અને ગુણનું કોઈ સાર્થક મૂલ્ય રહેતું નથી.



