આજરોજ તારીખ 23 9 23 ને શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લા મથકે પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઘણા સમયથી આંદોલનો ચાલે છે ત્યારે આ નવમા તબક્કાની દાહોદ જિલ્લામાં મૌનરેલીનું આયોજન દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં સંચાલક મંડળના હોદ્દેદારો આચાર્યસંઘ ના હોદ્દેદારો માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ વહીવટી સંઘ નાં હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો અને બહેનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસેથી મૌન રેલી નીકળી નગરપાલિકા ચોક દાહોદ સુધી પહોંચી હતી.
સુરેશ પટેલ લીમખેડા