MAHISAGARSANTALPURUncategorized

બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્ક ગામે સિંચાઈ સુવિધા આપવા મુખ્યમંત્રીને રજૂઆત

રિપોર્ટર….
અમીન કોઠારી
મહીસાગર

બાલાસિનોર તાલુકાના રૈયોલી (ડાયનાસોર પાર્ક) ગામે સિંચાઈ સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રીને બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ રજૂઆત કરી

મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ

ચોમાસુ આધારિત ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય આધારિત જીવન નિર્વાહ કરતા ખેડૂતો

વિશ્વના ત્રીજા નંબરનું દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક રૈયોલી ગામમાં આવેલ છે. આ ગામ સિંચાઈ સુવિધાથી વંચિત છે..ગામની મુખ્ય વસ્તી આર્થિક રીતે પછાત વર્ગ છે,ગામનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે.જે ચોમાસાના વરસાદ આધારિત છે જેથી પાણીની ખુબ તંગી પડે છે.આમ પાણી ની વિકટ સમસ્યા દૂર કરવા નજીકમાં બાજુના ગામ જેઠોલી ખાતે ભાટિયા સિંચાઇ તળાવ અંદાજે 1.5 કિલોમીટર દૂર છે જે ભૂતકાળમાં સર્વે થયેલ છે તે મુજબ આજ તળાવમાં થી શાખા નહેર કાઢી જૂની માગણી મુજબ સિંચાઈ સુવિધા કરી આપવા માટે હું આપ સાહેબને ભલામણ કરું છું અને મારા મત વિસ્તારમાં આ સિંચાઈ સુવિધાથી ખેડૂતોમાં પશુપાલકોમો જરૂરથી લાભ થશે તેવી હું આશા રાખું છું માનનીય મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય શ્રી માનસિંહજી ચૌહાણ તેમજ પૂર્વ પાંડવા જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ રૈયોલી હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રવીણસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ પણ સાથે જોડાયા હતા અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી

જ્યારે બીજી રજૂઆત વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક મ્યુઝિયમ રૈયોલી ખાતે વર્ષ 2019 માં તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ આ મ્યુઝિયમ ની આકારણી ગ્રામ પંચાયત રૈયોલી માં આકારણી કરેલ નથી અને આ પ્રવાસન હસ્તકનો વિભાગ હોય રૈયોલી ગ્રામ પંચાયતને આકારણી કરીને ગ્રામ પંચાયતને નાણાકીય બાબતો થી સધ્ધર થઈ શકે તે હેતુસર આકારણી કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!