GUJARATIDARSABARKANTHA

સાંસદશ્રીની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકા પંચાયત ખાતે “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ યોજાયો

 

સાંસદશ્રીની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકા પંચાયત ખાતે “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ યોજાયો

*****
લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવાના હેતુથી હિંમતનગર તાલુકા પંચાયત ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ ના અધ્યક્ષસ્થાને હિંમતનગર તાલુકાનો “અમૃત કળશ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ “મારી માટી મારો દેશ” અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. હિંમતનગર તાલુકાના વિસ્તારમાંથી માટી એકત્રિત કરી અહીંયા લાવવવામાં આવી છે જે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. આ માટી ગામો, તાલુકાઓ તથા જિલ્લામાંથી એકત્રિત કરીને દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. જ્યાં શહીદો બલિદાન યાદ કરવા અમૃત વાટિકા વનનું નિર્માણ કરવામાં આવશે.

હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં શહીદ વીરોનાં બલિદાન યાદગીરી રૂપે મારી માટી મારો દેશ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી રહી છે. સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરનાર શહીદો શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ હિંમતનગર તાલુકા પંચાયતથી વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી , પ્રાંત અધિકારીશ્રી જયંત કિશોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ અગ્રણીશ્રીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઊપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!