GIR SOMNATHGIR SOMNATH

Somnath : સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના સંકલ્પકર્તા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની સોમનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી

સોમનાથ મહાદેવની મહાપૂજા તેમજલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

અખંડ ભારતના શિલ્પી અને જેમના સંકલ્પ થકી આજે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના ભવ્યાતિ-ભવ્ય સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ તેવા સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતીની શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.સોમનાથ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, પૂજારીગણ સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પૂજન કર્યું હતું, તેમજ સરદારશ્રીને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથજીને શાસ્ત્રોમાં વર્ણિત પવિત્ર પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. પૂજારી ગણ દ્વારા આ પવિત્ર સામગ્રી થી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. પૂજામાં સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ માટે તેમજ રાષ્ટ્રના વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!