DEDIAPADANARMADA

ડેડીયાપાડા ના 10 ગામોમાં 12 દિવસ થી વીજપુરવઠો ખોરવાયો .

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આપી ચીમકી, જો સમયે વીજળી-પાણી નહિ મળે તો…

તાહિર મેમણ : આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા: ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 5 કિમીની રેન્જમાં આવતા ડેડીયાપાડા તાલુકાના ફુલસર, કંજાલ,હિંગાપાદર,ચપોડી,વાઘઉંમર, પાનખલા,માથાસર ,કણજી,વાંદરી સહિતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી..સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ડેડીયાપાડા તાલુકાના ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી???ત્યારે સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી આપી છે કે જો સમયે લાઈટ પાણી નહિ મળે તો નર્મદા ડેમ ખાતે વિઝળી ઉત્તપન્ન કરતા પાવર હાઉસ કબજે કરી કેનાલો પણ બંધ કરી દેવાશે.

વિધાનસભા ની ડેડીયાપાડા સાગબારા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ તેઓએ પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ચૈતર વસાવા પાસે ડેડિયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.ચૈતર વસાવા ત્વરિત ખેડૂતો અને સરપંચો સાથે વીજ કચેરી પહોંચી જઇ પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર વીજ કર્મચારઓને સૂચના આપી હતી.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના DE અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી ત્યારે અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ પડી છે, તો બીજી બાજુ DE કહે છે કે ગ્રાન્ટનો અભાવ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ડેડીયાપાડા તાલુકાના ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છુ.નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે.ખેતરમાં જ્યારે TC બગડી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તેમ છતાં તેમને યોગ્ય જવાબ મળતો નથી.આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે.આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વીજ સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધી હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી.ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું.

ખેતી લક્ષી વીજ જોડાણ માટે ખેડૂતો પાસે પૈસા માગવામાં આવે છે: ચૈતર વસાવાને ખેડૂતોની ફરિયાદ
ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ખેતી લક્ષી વીજ જોડાણ માટે પૈસા માંગવામાં આવે છે. એ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે થાંભલા રોપાય ત્યારે 1500 રૂપિયા, લાઈનો ખેંચાય ત્યારે 2000 રૂપિયા અને મીટર મુકાય ત્યારે 2500 રૂપિયા ખેડૂતો પાસેથી માંગવામાં આવે છે એવી મારી પાસે ફરીયાદ આવી છે.આગામી સમયમાં અમે વીજ કચેરી ખાતે કર્મચારીઓની ઓળખ પરેડ કરીશું, જે અધિકારી અથવા કર્મચારીએ ખેડુત પાસે પૈસા લીધા હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!