JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં વધુને વધુ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા ઉપર વિશેષ ભાર મૂકતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના અમલીકરણ અંગેની બેઠક યોજાઇ હતી.

કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો કેટલો અમલ થાય છે, કેટલા ખેડૂતો જોડાયા છે સહિતની કામગીરી વિષે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી ખેતી કરે, તે બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. જેના માટે ગ્રામસેવકોને તાલીમ આપી, તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, તેવું આયોજન કરવા સૂચના આપી હતી. તેમજ જિલ્લા પશુપાલન કચેરીના સહયોગથી પશુપાલનની સાથે ખેતીનો વ્યવસાય કરતા લોકોને પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપવા માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.એલ.સોજીત્રા, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી કે.યુ.ખાનપરા, મદદનીશ બાગાયત અધિકારીશ્રી જી.જે. કાતરીયા, આત્મા પ્રોજેકટના ડાયરેક્ટરશ્રી એચ.ડી.વાદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!