RAJKOTUPLETA

ઉપલેટા તાલુકાના ખારચિયા ખાતે મિલેટ મેળા અને તંદુરસ્ત બાળ સ્પર્ધા યોજાઈ

તા.૨૯ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પોષણ પખવાડા અંતર્ગત તા. ૨૮ માર્ચના રોજ ઉપલેટા તાલુકામાં આવેલ આંગણવાડીઓ ખાતે ‘‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર બાળકોને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. વિવિધ રમતો દ્વારા પણ બાળકોને મિલેટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ મિલેટથી બનતી વાનગીઓનું નિદર્શન કરાયું હતું.

ખારચિયા ગામે આંગણવાડીમાં અને શાળાઓમાં મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે અનાજની મિલેટ શ્રેણીમાં સમાવિષ્ટ રાગી, કોદરી, બાજરી, જુવાર, સામો વગેરે જેવા પરંપરાગત જાડા ધાન્યની મહત્તા સમજાવી હતી અને તેનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરી આરોગ્યમાં થતા લાભો વિશે સમજણ આપી હતી. સાથે જ આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતા બાલ શક્તિ, કિશોરીઓ માટે પૂર્ણા શક્તિ અને માતાઓ માટે માતૃશક્તિ ખોરાકથી થતા લાભો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

હાલ રાજકોટ ખાતે પોષણ પખવાડાની ઉજવણી અંતર્ગત કિશોરીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને બાળકોમાં જોવા મળતા કુપોષણને નાબૂદ કરવા પોષણક્ષમ અન્ન તરીકે શ્રીધાન્ય(મિલેટ)નો સમાવેશ કરી વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમ ઉપલેટાના સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન વાળાએ જણાવ્યું હતું .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!