GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ગામ ની ૧૩ વર્ષીય આલીયાબાનુ આખા મહિના ના રોજા રાખી ખુદાની ઇબાદત કરી.

 

તારીખ ૦૧/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

હાલમા જ રમજાન માસ પુરો થયો હતો જેમાં મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા હતા રમજાન માસ દરમિયાન વહેલી સવારથી ખાવા પીવાનુ બંધ કરીને સાંજ સુધીમાં ખાઈ પી શકાય છે આમ ૧૪ કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોજુ ધણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા બનાવ પણ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસ નુ રોઝુ રાખ્યા હતા જેમાં કાલોલ જુમ્મા મસ્જીદ પાછળ રહેતા વાઘેલા મહંમદભાઇ ની તેર વર્ષની પુત્રી આલીયાબાનુ એ ધગધગતા તડકામાં ૧૪ કલાક સુધી રોઝા રાખી ને ખુદાની બંદગી કરી ઈમાન નુ સબુત પેસ કર્યું હતું ત્યારે આલીયાબાનુ એ વહેલી સવાર થી શહેરી કરીને છેક સાંજે ઈફતાર કર્યો બાદ જ ખાધું પીધું હતુ અને આમ ખુબ નાની ઉમરે ખુદાને રાજી કરી આખા મહિના ના રોઝા રાખ્યા હતા.

Back to top button
error: Content is protected !!