હાલોલ નગર પાલિકા દ્વારા વંદે વિશ્વામિત્રી ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાત,વરસાદને કારણે થતી પૂરની સમસ્યા નો હવે અંત આવશે
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૬.૨૦૨૫
હાલોલ નગર પાલિકા દ્વારા પાવાગઢથી નીકળી હાલોલમાંથી પસાર થઈ વડોદરા તરફ જતી વિશ્વામિત્રી નદીના કોતર ને ડેવલપ કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસરે હાલોલ નગર પાલિકા હોલ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.હાલોલ નગર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે ગત વર્ષો માં વધારે વરસાદ ને કારણે પૂરની સ્થિતિ ઉદભવી હતી જેને લઈ ભવિષ્યમાં આવી સ્થિતિ ઉદભવે ના તે માટે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કરેલી રજૂઆતને લઇ હાલોલમાંથી પસાર થતી 13 કિલોમીટર વિસ્તારમાં કોતર ને કરોડોના ખર્ચે વંદે વિશ્વામિત્રી નામ આપી ડેવલપ કરવામાં આવનાર છે જે આગળ જતા વહો વિશ્વામિત્રી ના પ્રોજેક્ટ ને કનેક્ટ કરવામાં આવશે.હાલોલ નગર પાલિકા દ્વારા વંદે વિશ્વામિત્રી નામના ડેવલપ મેન્ટમાં હાલોલ નગરના ગામ તળાવની સાથે સાથે હાલોલ વિસ્તારમાં આવેલા નાના તળાવોને કનેક્ટ કરી તળાવોમાં બારેમાસ પાણી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ ચેક ડેમ બનાવી પાણીને સ્ટોરેજ કરવામાં આવશે જેમ જેમ પાણીની જરૂરિયાત ઊભી થાય તેમ ચેકડેમ માંથી પાણી છોડવામાં આવશે જેને લઈ 18 લાખ લોકોને ફ્રી માં પીવાનું પાણી મળી રહે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ આવનાર સમયમાં પૂરની સ્થિતિ ન ઉદભવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે તેમ નગર પાલિકા ના મુખ્ય અધિકારી હિરલ ઠાકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.આ ઉપરાંત હાલોલ નજીક આવેલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં ગીધ ની વસ્તી 15 જ રહી છે તેની વસ્તીનો વધારો થાય અને આવા પક્ષીઓ જળવાઈ રહે તે માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે કારણકે ગીધ પ્રકૃતિની સફાઈ કામદાર તરીકે ઓળખાય છે જેને લઈ હાલોલના ઘન કચરા સાઇટ પર ગીધ માટે 15 લાખના ખર્ચે 20 મીટર ઊંચું ઓપન રેસ્ટોરેન્ટ ટાવર ઊભો કરવામાં આવનાર છે જેમાં તેને પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા હાલોલ નગર પાલિકા દ્વારા કરવામાં આવનાર છે જેને લઈ સમગ્ર ભારતમાં આવી કામગીરી બાબતે હાલોલ નગર પાલિકા પ્રથમ હશે આ પ્રોજેક્ટ નું પ્લાન્ટ અને એસટીમેંટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના માંથી કરવામાં આવનાર હોવાનું હાલોલ નગર પાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.