GUJARATKUTCHMUNDRA

વીરાગામમાં વિરાટ સૌંદર્ય ખીલવવા અદાણી ફાઉ.નું અનોખુ અભિયાન.

હરસિદ્ધિ મંદિરનેપ્રસિદ્ધ પર્યટન સ્થળ બનાવવાનો‘મંગળપ્રારંભ’

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

30જુલાઈ ૨૦૨૫:અદાણી ફાઉન્ડેશન અને ટુના પોર્ટના સંયુક્ત ઉપક્રમે અંજાર તાલુકાના વીરાગામને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ હરસિદ્ધિમાતાજી મંદિર પરિસરનેપ્રકૃતિક સૌંદર્ય આચ્છાદિત કરવાવૃક્ષારોપણ અભિયાનનોમંગળવારથી મંગળપ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત 5100+ વૃક્ષારોપણથકી વીરાનો કાયાકલ્પ કરવામાં આવશે.

વીરાગામનુંહરસિદ્ધિ માતાનું મંદિરવર્ષોથી હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે.વિશાળ તળાવ અને હરિયાળીથી ઘેરાયેલા મંદિર પરિસરને પર્યટન સ્થળ તરીકે વિસસાવવા અદાણી ફાઉન્ડેશને ખાસ પહેલ આદરી છે.વીરા ગ્રામ પંચાયત સાથે મળીનેઆ વિસ્તારને હરિયાળો બનાવવાબહોળા વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે.

વિવિધ પ્રકારના 5100+વૃક્ષો વીરાનાકુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લગાવશે અને પર્યાવરણમાંનવો પ્રાણ ફૂંકશે.વૃક્ષોના ઝડપી ઉછેર માટે ટપક સિંચાઈ અનેજાપાનની વિખ્યાત મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફળાઉ અને આયુર્વેદિક વૃક્ષો માનવ સાથે પશુ-પક્ષીઓના આકર્ષણનું કેન્દ્રબનશે. વાવેલા વૃક્ષોનું સંરક્ષણ અને માવજત માટે તારની વાડ બનાવવામાં આવી છે.

આ પ્રસંગે આયોજીત ખાસ કાર્યક્રમમાં આસપાસનાઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.વીરાના સરપંચ મહેશભાઈ આહીરે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે,”આધ્યાત્મિક સ્થળે વૃક્ષારોપણ કરવાથી એક અનોખુ સૌંદર્યઅને રમણીય વાતાવરણ ઉભુ થશે. આ પહેલ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગ્રામજનો તેમાં સંપૂર્ણ સહયોગ કરશે.”આ પરિસર લીલુછમ જંગલ બનતા જ પક્ષીઓના કિલકિલાટથી ગુંજી ઉઠશે અને સ્થાનિક ઇકોસિસ્ટમને લાભ થશે.

અદાણી ફાઉન્ડેશનના પંકતિબેન શાહે જણાવ્યુ હતુ કે, “અહીં લોકમેળાઓ યોજાય છે, પરંતુ ગાઢ જંગલ બન્યા પછી, હવે પક્ષીમેળાઓ યોજાશે, કારણ કે જંગલમાં તમામ પ્રકારના વૃક્ષો છે જેમાં તેમને ખોરાક અને આશ્રયસ્થાન ઉપલબ્ધ થશે.” વળી જૈવ વિવિધતાનો પણ વિકાસ થશે.

અદાણી તુણા પોર્ટના સીઓઓ વિવેક સીંગેપહેલના વ્યાપક વિઝન પર ભાર મૂકતા જણાવ્યુ હતું કે, “અમારા ચેરમેનનું વિઝન ભારતની ભૂમિ પર 1૦ કરોડ વૃક્ષો વાવવાનું છે. આગામી વર્ષોમાં અમે વધુને વધુ વૃક્ષો વાવીશું અને સંયુક્ત પ્રયાસો દ્વારા કચ્છની ભૂમિને હરિયાળી બનાવીશું.”

હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેકટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં પ્રગાઢ વનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષોનું માત્ર વાવેતર જ નહીં પણ ઉછેર અને માવજત પણ કરવામાં આવે છે. અગાઉ મુંદ્રાના વિરણીયા ખાતે લગભગ 4૦ પ્રકારના પાંચ હજાર સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડ રોપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!