GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર સ્વામિનારાયણ મંદિર નો 33 મા પાટોત્સવ ની શાનદાર ઉજવણી.ભગવાન સ્વામિનારાયણ ની વિશાળ નગર યાત્રા નીકળી.

તારીખ ૨૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુરગામના કાછીયાવાડ મા આવેલ સ્વામિનારાયણ મંદિરના 33 મો પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સવારમાં 5:30 કલાકે પ્રભાતફેરી ૧૦ કલાકે સ્થાપિત દેવોની પ્રતિષ્ઠા 11:00 કલાકે સંત સભા તેમજ 12 કલાકે મહાપ્રસાદ અને સાંજના ચાર કલાકે વિશાળ નગર યાત્રા યોજવામાં આવી હતી આ નગરયાત્રા નું આયોજન સુવાસીની મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરયાત્રા વેજલપુર સ્વામિનારાયણ મંદિર રીતે નીકળી કાછિયાવાડના ચોકમાં ફરી ચંદન સોસાયટી ગ્રામ પંચાયત બજાર તેમજ મોટી કાછિયાવાડમાં ફરી આ નગરયાત્રા સત્સંગી ભાઈઓ બહેનો સાથે પરત ભગવાનના ગુણગાન ગાતા ગાતા સ્વામિનારાયણ મંદિરે પરત ફરી હતી.





