RAMESH SAVANI

સત્તાપક્ષના 26 સંસદસભ્યો ચૂંટાઈ જશે, ફરી પાંચ વરસ સુધી આંધળાં/બહેરાં/ મૂંગા બની જશે !

સત્તાપક્ષના 26 સંસદસભ્યો ચૂંટાઈ જશે, ફરી પાંચ વરસ સુધી આંધળાં/બહેરાં/ મૂંગા બની જશે !

સત્તાપક્ષે 2 માર્ચ 2024ના રોજ લોકસભાની ચૂંટણી-2024 માટે 15 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાવનગર જિલ્લાના મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપી છે અને અમરેલી જિલ્લાના પરશોત્તમ રુપાલાને રાજકોટથી ટિકિટ આપી છે. કેટલાંક લોકો કહે છે કે આવું કેમ? પોતાના જિલ્લામાં શામાટે ટિકિટ ન આપી?

પરંતુ માની લો કે આ બન્ને નેતાઓને પોતાના જિલ્લાની બેઠકની ટિકિટ આપી હોત અને પેરબંદર/રાજકોટમાં સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપી હોય તો પણ શું ફરક પડવાનો હતો? ગમે ત્યાંથી ચૂંટાય, તેમણે તો અવતારીની સ્તુતિ જ કરવાની છે ! માત્ર આંગળી ઊંચી કરવાની છે ! લોકહિતના મુદ્દે તો ત્રણ વાંદરાની જેમ ભૂમિકા ભજવવાની છે. લોકોની પીડા જોવી નહીં, સાંભળવી નહીં, તેના વિશે બોલવું નહીં ! ગુજરાતના 26 સંસદસભ્યો છે, તે બધા સત્તાપક્ષના છે, તેમણે 2019થી 2024 દરમિયાન એક પણ વખત લોકોની પીડા માટે મોં ખોલ્યું છે ખરું? 2024માં ફરી સત્તાપક્ષના 26 સંસદસભ્યો ચૂંટાઈ જશે, ફરી પાંચ વરસ સુધી આંધળાં/બહેરાં/ મૂંગા બની જશે ! આ સ્થિતિમાં કોઈપણને પોરબંદર/ રાજકોટની ટિકિટ આપે તો શું ફરક પડવાનો છે?

કેટલાંક લોકો બધી સમસ્યાનો ઉકેલ માટે EVM હટાવવાની માંગણી કરે છે. ક્રિમિનલ માનસિકતાવાળા નેતાઓ EVM સાથે પણ છેડછાડ કરે જ ! પરંતુ તેના કરતાં પણ ખૂલ્લી રીતે ભયંકર છેડછાડ થઈ રહી છે, તેની પર પ્રથમ ધ્યાન આપવાની જરુર છે. લોકોને ધર્મનો નશો કરાવાઈ રહ્યો છે ! બહુમતી હિન્દુઓને આ નશો એટલો ગમે છે કે ‘ભલે મોંઘવારી આકાશે પહોંચે/ બેરોજગારી ભલે ઘેરઘેર પહોંચે/ ડીઝલના-પેટ્રોલની કિંમત ભલે એક લિટરની 500 રુપિયા થાય, પણ અમારે અવતારી વડાપ્રધાન જ જોઈએ ! જો તે ન હોય તો અમે સલામત નથી !’ આ નશો જોતા વડાપ્રધાન છેલ્લા શ્વાસ સુધી સત્તા ભોગવશે તેવું ચોક્કસપણે કહી શકાય. આ બાબતનો અહેસાસ ગુજરાત કોંગ્રેસના નેતાઓને છે જ, એટલે જ તેઓ વંડી ઠેકી રહ્યા છે ! અને પોતાની એકઠી કરેલ સંપતિનું સુરક્ષા કવચ બનાવી રહ્યા છે ! એટલે જ તેઓ ગાંધીજીને પાટું મારી હત્યારા ગોડસેને દેશભક્ત કહેવા ઉત્સુક બની ગયા છે !

વડાપ્રધાન પાક્કા ભગત છે તેવો દેખાડો કરી રહ્યા છે, જો તેઓ વાસ્તવમાં ધર્મમાં માનતા હોય તો કાળા નાણાના ઉપયોગથી વિપક્ષના MLAને ખરીદે? વિપક્ષની સરકાર તોડે? યૌન શોષણથી પીડિત મહિલા પહેલવાનોને મદદ ન કરે? મહિલાઓની નગ્ન પરેડ કરાવનારાઓને પાઠ ન ભણાવે? કથની અને કરણીમાં ફરક હોય? અફસોસ એ છે કે વડાપ્રધાનના આ ઢોંગને ગોદી મીડિયા ધર્મ માને છે ! આ એવી લોકશાહી છે જેમાં મતદારોને ભ્રમિત કરવાની છૂટ છે ! મતદારો સાથે છેતરપિંડી કરવાની છૂટ છે ! અફસોસ એ છે કે ચૂંટણીપંચ કે સુપ્રિમકોર્ટને પણ મતદારોની પીડાનો સ્પર્શ થતો નથી !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!