GODHARAPANCHMAHAL

કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની શાનદાર ઉજવણી 

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ તથા ગોધરા 1601 કેન્દ્ર દ્વારા તારીખ 14 એપ્રિલ 2023 ના રોજ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડો. બાબા સાહેબ આંબેડકર ની 132 મી જયંતીની કોલેજ ખાતે શાનદાર રીતે ઉજવણી કરી હતી .આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.   પ્રારંભમાં કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.અરુણસિંહ સોલંકીએ ડો બાબાસાહેબજી ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ પણ ફુલમાળા પહેરાવી બાબાસાહેબ આંબેડકરને વંદન કર્યા હતા ,ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં વકતૃત્વ સ્પર્ધામાં એસવાય બીકોમ ના પારિંગી જય પ્રથમ ક્રમે આવ્યા હતા જેમને ટ્રોફી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.   નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બીકોમ સેમ 2 ની વિદ્યાર્થીની કુમારી હર્ષિતા ખીમાણી પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા. જેમને પણ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે સૌથી રસપ્રદ સ્પર્ધા ક્વિઝની રહી હતી જેમાં ત્રણ ટીમે ભાગ લીધો હતો પરિણામના અંતે એફવાય અને એસવાય ની બનેલી જય અને હર્ષિતાની ટીમ ચેમ્પિયન થતાં તેમને પણ સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ શર્મા પિયુષે કરી હતી જ્યારે તમામ ગોઠવણીમાં ઉદય રાણા ,વિનય પારિંગી તેમજ માનસી ચૌહાણ એ સેવાઓ આપી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!