GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સયુંકત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચના સયુંકત ઉપક્રમે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા ના નેતૃત્વ હેઠળ બિપિનભાઈ ડાભી દ્વારા તથા દિલીપ ભાઈ રાઠોડ પ્રમૂખ શ્રી લોક અધિકાર મંચ ભાવનગર જિલ્લા જયેશભાઈ ચિત્રા જયેશ ભાઈ સોલંકી મોજે મંસતરામ ગ્રૂપ અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 70 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર પ્રમુખ બીપીનભાઈ ડાભી શ્રી લોક અધિકાર મંચ જયેશ ભાઈ સોલંકી મોજે મંસતરામ ગ્રૂપ ના સભ્યો સહભાગી થાય હતા

આ પ્રસંગે પ્રમુખ બીપીનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”

સંસ્થાના પ્રમુખ બીપીનભાઈ ડાભી પણ આ અભિયાન ને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શ્રી લોક અધિકાર મંચ તથા મોજે મંસતરામ ગ્રૂપ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.તેવું જાણવા મળ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!