AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યના હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના માટે કાળા કપડાં પહેરી ફરજ બજાવી

લોકસભા ચૂંટણી પહેલાં કર્મચારીઓ દ્વારા “જૂની પેન્શન યોજના” પુનઃ લાગુ કરવા માટે રણશિંગુ ફૂંક્વામાં આવેલ

ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા સહિત ઘણા મંડળો દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય તેમજ બીજા પડતર પ્રશ્નો માટે 14 અને 15  ફેબ્રુઆરીના રોજ કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓને ફરજ બજાવવા આહવાન આપેલ  હતું,  જે અંતર્ગત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવેલ છે. તેમજ 16-02-2024નાં રોજ પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, ITIના શિક્ષકો , ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો તેમજ અલગ અલગ વિભાગો જેવા કે સચિવાલય , પંચાયત, કોર્ટ , હિસાબી શાખા સહિત વિવિધ વિભાગ તેમજ તમામ જિલ્લાના કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરી ફરજ બજાવેલ છે.

અલગ અલગ જિલ્લાઓમાં  કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન પુનઃ લાગુ થાય તે માટે  કલેકટરને આવેદન પણ આપવવામાં આવેલા છે. ઘણા કર્મચારીઓ દ્વારા પોતે જ્યાં ફરક બજાવતા હોય ત્યાંના વડાને પણ OPS સહિત પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે રજૂઆત કરેલ છે તે જાણવા મળેલ છે.

આ ઉપરાંત વિવિધ મંડળો  દ્વારા મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રીતે આજે રાજ્ય સરકારના કર્મચારીઓ અને શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નો માટે આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા જે પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી તેમના અમુક પ્રશ્નો અંગે આજદિન સુધી સરકાર દ્વારા કોઈ ઠરાવ બહાર પાડવામાં આવેલ ન હોવાથી કર્મચારીઓ છેતરામણીની લાગણી અનુભવી રહ્યા છે. જેથી જોવાનું એ રહે છે કે આ વખતે કર્મચારીઓના પ્રાણ સમાં પ્રશ્ન જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહિ ?

લોકસભા ચૂંટણી પહેલાં કર્મચારીઓ દ્વારા “જૂની પેન્શન યોજના” પુનઃ લાગુ કરવા માટે રણશિંગુ ફૂંક્વામાં આવેલ છે તે જોતાં સરકાર દ્વારા આ વખતે કોઈ યોગ્ય નિરાકરણ લાવે તો નવાઈ નહિ.

કર્મચારીઓનું કહેવું છે કે જૂની પેન્શન યોજના  તે રાજ્ય સરકાર હેઠળ આવતો વિષય છે જેથી ગુજરાત સરકાર જૂની પેન્શન યોજના અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તેમ છે પંરતુ કર્મચારીઓના જણાવ્યાં  મુજબ સરકાર દ્વારા મૌખિક જવાબ આપવામાં આવે છે કે જૂની પેન્શન યોજના અંગે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેવામાં આવશે તે ગુજરાત રાજ્યના કર્મચારીઓને પણ લાગુ કરવાની શક્યતા રહેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા OPS  અંગે યોગ્ય નિર્ણય લેવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવેલ છે. કેન્દ્ર તેમજ રાજ્યના NPS કર્મચારીઓ કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત સમિતિ OPS અંગે લોકસભાની ચૂંટણી પહેલા કોઈ સુખદ નિરાકરણ  જાહેર કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

જૂની પેન્શન યોજના  પુનઃ લાગુ થાય તે માટે દેશભરનાં તમામ સંગઠનો જેમાં  મુખ્યત્વે NOPRUF, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, રેલવે  સહિત આશરે 34 જેટલા અલગ-અલગ સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડવા દિલ્હી તેમજ અલગ-અલગ રાજ્યમાં પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

આગામી 23  ફેબ્રુઆરીના રોજ  રાજ્યકક્ષાનો  ધરણાં કાર્યક્રમ પણ  આયોજિત કરવામાં આવનાર છે,  જેમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો જોડાઈ જૂની પેન્શન યોજના અને પડતર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!