BANASKANTHALAKHANI

લાખણી ની કે કે ભેદરુ વિધાલય મા ધો 10 અને 12 ના વિધાર્થી ઓ નો દિક્ષાંત સમારોહ યોજાયો

નારણ ગોહિલ લાખણી

લાખણીની શ્રી કે. કે ભેદરુ ટ્રસ્ટ સંચાલિત શ્રી એસ.કે.વિદ્યાલય લાખણી ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ અને મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો શ્રી ડોક્ટર નિધીબેન ભેદરુ થરાદ, મણીબેન પટેલ જિલ્લા મહિલા મહામંત્રી, કલાવતીબેન, હીનાબેન,જોશી ભાવનાબેન, ગોહિલ યોગીતાબેન,ઉર્મિલાબેન, વૈશાલીબેન, વર્ષાબેન,નવીનભાઈ માળી, ઉમેદભાઈ ચૌધરી અને લાલજીભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ 10ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી શ્રી અને મહેમાનો દ્વારા સન્માન પત્ર અને શીલ્ડ એનાયત કરી સન્માન કર્યું હતું.

ધોરણ 10 અને 12 ના દીક્ષાત લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકો, મહેમાનો અને ટ્રસ્ટી શ્રી દ્રારા શાળામાંથી મળેલા જ્ઞાનથી જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને માતા-પિતા, પરિવાર, ગામ, અને સમાજનું ગૌરવ વધારે અને જીવનમાં મોટું નામ કમાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.

શાળામાં 10 અને 12 ધોરણના દિક્ષાત લઈ રહેલા વિદ્યાર્થીઓને ધોરણ 09 અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આવનારી પરીક્ષામાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ આપી હતી.

ધોરણ 10 અને 12ના દિક્ષાંત સમારોહ, મહિલા સશક્તિકરણ અને શાળાના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વિનોદભાઈ ચૌધરી, અરવિંદભાઈ પ્રજાપતિ, સતિષભાઈ ચૌધરી, હિતેશભાઈ નાઈ, વિકેશ પટેલિયા , આશાબેન પ્રજાપતિ,નરેશભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, મહેશભાઈ અને અક્ષયભાઈ સર્વ સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો….

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!