કાંકરેજ તાલુકાના સલીમગઢના વતની અને શ્રી નચિકેતા સંસ્કારધામ થરાના ડિરેકટર ડૉ.બાબુભાઈ પટેલને ગુજરાત રાજ્યનો અતુલ્ય વારસો એવોર્ડ ૨૦૨૪ અર્પણ કરવામાં આવ્યો. ડૉ.બાબુભાઈ સફળ સંશોધક, પ્રબુદ્ધ લેખક અને તેજાબી વક્તા પણ છે.વર્ષોથી લોકસાહિત્ય ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે.ગુજરાતના નામાંકિત જર્નલો અને પેપરોમાં એમના સંશોધન લેખો નિયમિત છપાય છે.સાથે સાથે ગર્ભ સંસ્કાર,વોઈસ ઑફ કલ્ચર અને સહજ યોગ સાથે સીધા સંકળાયેલા છે.એટલે એમના આ કર્તવ્યપથની કદર કરી આજ રોજ ગાંધીનગર મુકામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના વરદ હસ્તે અતુલ્ય વારસો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.આ પ્રસંગે ઉપ સચિવ રાઠોડ સાહેબ,મેનેજીંગ ડીરેક્ટર કપિલ ઠાકર,વી.સી. અમીબેન ઉપાધ્યાય અને સમાજસેવી મિત્તલ પટેલની વિશેષ ઉપસ્થિત રહેલ.ડો.પટેલને આ એવોર્ડ મળવા બદલ ચૌધરી સમાજ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.