સુત્રાપાડા પાલિકા ના પ્રમુખ, ઉપપ્રમુખ, અને કારોબારી ચેરમેનની વર્ણી કરાઈ.

0
228
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહ વાજા સુત્રાપાડા

 

… 24 માંથી 19 સભ્યો જંગી બહુમતી ચૂંટાયેલા જાહેર

સુત્રાપાડા પાલિકાની સામાન્ય મીટીંગ પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને સુત્રાપાડા મામલતદાર કરગઠિયા ની હાજરીમાં યોજાઇ હતી. જેમાં પાલિકાની બીજી ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ વડાં ગર , ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ કામળિયા, તેમજ કારોબારી ચેરમેન તરીકે કૈલાશભાઈ રામ, શાસક પક્ષના નેતા તરીકે રામસિંગભાઈ વાણવી અને દંડક તરીકે દિવાળીબેન મેરૂભાઈ મેરની વરણી થઈ હતી. આમ પાલિકાના કુલ 24 ચૂંટાયેલા સભ્યોમાંથી 19 સભ્યોથી જંગી બહુમતીથી તેઓ ચૂંટાયેલા જાહેર કરેલ. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ ભાજપ પ્રદેશની સુચના અનુસાર હોદ્દેદારોની વરણી થઈ હતી.

આ તકે ભાજપના જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, ભાજપ શહેર પ્રમુખ દીપકભાઈ કાછેલા, તેમજ નામી અનામી ભાજપના હોદ્દેદારો તેમજ સુત્રાપાડા સંગઠનના હોદ્દેદારો એ વરણીના આવકારી અને શુભેચ્છા પાઠવી હતી.

Screenshot 2023 0913 180159

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here