કાલોલ શહેર ની વૈભવ લક્ષ્મી સોસાયટીમાં કુટુંબીઓ દ્વારા વૃદ્ધનુ મકાન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ
તારીખ ૧૧/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત વૈભવ લક્ષ્મી સોસાયટીમા નગરપાલિકા મકાન નંબર ૫ અને સિટી સર્વે નંબર એનએ/૩૬૦ વાળા મકાન ના ૭૩ વર્ષીય માલિક અમરસિંહ ધુળાભાઈ પરમારે નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓના મકાનમાં તેઓના કુટુંબીઓ(૧) ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ પરમાર (૨) દિનેશભાઈ ડાયાભાઈ પરમાર (૩) દશરથભાઈ ડાયાભાઈ પરમાર ગત તા ૦૭/૦૯/૨૩ ના રોજ ફરિયાદી પોતાનું મકાન બંધ કરીને દીકરીને ઘરે રહેવા ગયા હતા ત્યારે આરોપીઓએ કોઈ પણ જાતનો હક લાગ ભાગ વગર મકાનનું તાળુ તોડીને મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરી તેમાં રહેવા લાગ્યા હતા ફરિયાદીએ અવારનવાર મકાન ખાલી કરવા જણાવતા તમામ આરોપીઓ ગંદી ગાળો બોલી વૃદ્ધને હડધૂત કરતા હતા જે બાદ ફરિયાદીએ તા ૨૧/૧૨/૨૩ ના રોજ જીલ્લા કલેક્ટર કચેરી સમક્ષ ઓનલાઈન અરજી કરી હતી જે બાદ કલેક્ટર કચેરી દ્વારા કમિટીની રચના કરી હતી અને તા ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ હુકમ કરી સામાવાળા આરોપીઓ સામે જમીન પચાવી પાડવા પ્રતિબંધ ની અધિનિયમ 2020 ની કલમ હેઠળ સંબંધિત પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ જેથી ફરિયાદી દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વી. જે રાઠોડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.