DEVBHOOMI DWARKAKALYANPUR

દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં સામેલ ખીરસરા ગામમાં મતદાતા જાગૃતિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વ્યાપક આયોજનો દ્વારા મતદાનનો દર વધે તે માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

        આ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

        જેમાં મતદાનની આવશ્યકતા નાગરિકોને સમજાવવામાં આવી હતી. વધુમાં નાગરિકોને ૭ મેના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત અવશ્ય આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખવા માટે દરેક નાગરિક પોતાની મતદાનની ગૌરવપૂર્ણ ફરજ નિભાવે તે મહત્વનું છે, આ માટે ગામોગામ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજીને વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!