BHUJGUJARATKUTCH

૨-વ્હીલર,એલએમવી કાર,૩–વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન,સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા  – ૦૭ મે : સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર કચ્છ દ્વારા મોટર સાયકલ (ટુ-વ્હીલર) એલ.એમ.વી કાર (૪ વ્હીલર ), ૩ વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની સિરીઝમાં બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી-ઓકશન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૫/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭/૦૫/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૭/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૧૯/૦૫/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી રહેશે.ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ.૮૦૦૦, અન્ય માટે રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ- વ્હીલર માટે રૂ. ૩૫૦૦ તથા અન્ય માટે રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ટુ- વ્હીલરના ફીના રૂ. ૨૦૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૮૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનોના માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા https://vahan.parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઇ.ડી અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં. આઇ.ટી./પસંદગી નંબર/Online auction/૭૪૨૧ તા.૧૨/૦૯/૨૦૧૭ Appendix-A(આ સાથે સામેલ છે)ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પુરી થયાના પાંચ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ(Base price)ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં. ઓનલાઇન ઓકશન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વારા પરત કરવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અંજારની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!