Veraval : વેરાવળ ખારવા સમાજ તેમજ પોલિસ નાં સંયુક્ત ઉપક્રમે અકસ્માત નિવારણ જાગૃતિ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
ગીર સોમનાથ સુત્રાપાડા
દાનસીંહ વાજા
આજરોજ વેરાવળ બંદર ખાતે તારીખ ૧-૧૦-૨૦૨૩ ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા વેરાવળ ડી.વાય.એસ.પી. વિ. આર.ખેંગાર સાહેબ તેમજ વેરાવળ સીટી પી.આઈ એસ. એમ. ઈશરાણી સાહેબ તેમજ વેરાવળ ટ્રાફિક પોલીસ ના માધ્યમથી બંદર ખાતે રીક્ષા તથા બોલેરો માં લાલ અને પીડી પતિ જે અકસ્માત ન થાય તેના કારણે લગાવવામાં આવેલ હતી આશરે 500 ઉપર રિક્ષા તેમજ 200 ઉપર બોલેરા રેડિયમ ની પટ્ટી મારવામાં આવી હતી
આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ ના ડી.વાય.એસ.પી વી.આર ખેગાર સાહેબ, વેરાવળ સીટી પી.આઈ એસ. એમ ઇશરાણી સાહેબ, ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, ખારવા સમાજના મંત્રી શ્રી નારણભાઈ બાંડિયા , માછીમાર કન્વીર પૃથ્વીભાઈ ફોફંડી, તેમજ ખારવા સમાજના તમામ આગેવાન શ્રીઓ, વેરાવળ ટ્રાફિક પોલીસ પ્રવીણભાઈ પરમાર, તેમજ રીક્ષા ડ્રાઇવરો ઉપસ્થિત રહ્યા હતા