ANANDANAND CITY / TALUKO

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૬ મો પદવીદાન સમારંભ યોજાશે

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૬ મો પદવીદાન સમારંભ યોજાશ

 

 

 

તાહિર મેમણ : આણંદ – 13/13/2023- યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી : તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૬ સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરાશે

 

આગામી તા. ૧૬/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ બપોરના ૦૩-૦૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૬મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર છે. આ પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. અતિથિ વિષેશ તરીકે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહેશે.

 

આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૧૫,૭૫૪ વિદ્યાર્થીઓને પદવી/ડીગ્રી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૬ સુવર્ણચંદ્રકો/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરવામાં આવશે તેમ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!