DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

“ટ્રેન ના પાટે આત્મહત્યા કરવા પહોંચેલી કિશોરીને નવું જીવનદાન અપાવતી જામનગર 181 અભય ટીમ”

“ટ્રેન ના પાટે આત્મહત્યા કરવા પહોંચેલી કિશોરીને નવું જીવનદાન અપાવતી જામનગર 181 અભય ટીમ”

 

કાઉન્સેલર શીતલ સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ ડ્રાઇવર રવિભાઈ ઘટના સ્થળ પર તાબતોબ પહોંચ્યા કુશળ કાઉન્સિલિંગ દ્વારા કિશોરીને સમજાવી ઘરે પરત મોકલી

 

જામનગર ( નયના દવે)

૧૮‍૧ ના વખતોવખત મળતા અભિપ્રાય મુજબ હાલના સમયમાં ઘણી વખત કિશોર – કિશોરીઓ નાની નાની વાતમાં ગુસ્સે થઈ આત્મહત્યા કરવાના વિચારે છે અને જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે એવો જ એક કિસ્સો જામનગરમાં પણ આજરોજ જોવા મળે જેમાં કિશોરી કામકાજને લઈને ફઈ સાથે થયેલ ઝઘડાને લીધે આત્મહત્યા કરવા ટ્રેનના પાટે પહોંચે છે જેને 181 અભયમ ટીમ દ્વારા બચાવી નવું જીવનદાન આપેલ છે

આજરોજ કોઈ સજજન વ્યક્તિ દ્વારા 181 અભયમ માં ફોન કરી જણાવેલ કે કોઈ કિશોરી આત્મહત્યા કરવા માટે ટ્રેનના પાટે આવીને ઊભા છે સમજાવવા છતાં કોઈનું માનતા નથી તેથી મદદની જરૂર છે
ગણતરીની મિનિટોમાં 181 ટિમ ના કાઉન્સેલર શીતલ સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા તેમજ ડ્રાઇવર રવિભાઈ ઘટના સ્થળ પર પહોંચી પીડિતાને જોતા પીડિત મહિલા ગભરાયેલ તેમજ રડિયા કરતા કોઈને કશું જવાબ ન દેતા જોવા મળે કાઉન્સર દ્વારા આશ્વાસન આપી પીડિતાનો વિશ્વાસ જીતી વાત જાણવાની કોશિશ કરેલ અને કુશળ કાઉન્સિલિંગ કરતા કિશોરી એ જણાવેલ કે ફઈ જોડે કામ કાજને લઈને ઝઘડો થયેલ તેથી તે હવે કોઈ પરબોજ બનવા ના ઇચ્છતા હોવાથી આત્મહત્યાનો નિર્ણય લઈ ટ્રેનના પાટે આવેલા, પૂરી વાત જાણી ૧૮૧ ટીમ દ્વારા દ્વારા એડ્રેસ તેમજ મોબાઈલ નંબર જાણવાની ટ્રાય કરેલ પરંતુ પીડિતા દિલ્હીના હોવાથી અને દાદા દાદી જામનગરમાં રહેતા હોવાથી તેમના ઘરે રહેવા આવેલ તેથી એડ્રેસ યાદ ન હોવાથી કારખાના એરિયામાં તેઓ રહે છે એટલું જણાવેલ પીડિતા પાસે કોઈનો નંબર પણ ન હોવાથી જણાવ્યા મુજબ અલગ અલગ કારખાના વિસ્તારમાં શોધવાની ટ્રાય કરેલ એટલામાં કિશોરીને તેમના ફઈ જે કારખાનામાં જોબ કરે તે કારખાનું દેખાઈ આવે તેથી 181 ટીમ તેને લઈ કારખાના ઓફિસમાં જઈ ત્યા ફઈ વિશે પૂછપરછ કરી નામ એડ્રેસ મોબાઈલ નંબર મેળવેલ
એડ્રેસ જણાવ્યા મુજબ કિશોરીને તેમના દાદા દાદી તેમજ ફઈ જ્યાં રહેતા હતા ત્યાં લઈ ગયેલ દાદા દાદી પાસે પૂરી વાત જાણી જેમાં જણાવેલ કે સવારમાં ફય ભત્રીજીને કામને લઈને નાનો એવો ઝઘડો થયેલ તો કિશોરી ઘરે કહ્યા વિના જતા રહેલા તેથી સવારના બધા તેમને શોધે છે બધા જ વિસ્તારમાં શોધી લીધેલ પરંતુ ક્યાંય મળેલ નહીં જણાવેલ પૂરી વાત જાણી દાદા દાદી તેમજ ફઈ નું કાઉન્સેલિંગ કરેલ ને હવે પછી આવી નાની વાતમાં ઝઘડો ન કરવા સમજાવેલ અને કિશોરીનું ધ્યાન રાખવા સમજાવેલ તેમજ પીડીતાને પણ આવી રીતે ઘરનો છોડવા તેમજ આત્મહત્યાના ખરાબ વિચારો ન કરવા કાઉન્સિલિંગ કરેલ અને સારા વિચારો માટે પ્રેરિત કરેલી તેથી કિશોરી એ જણાવેલ કે તેવો હવે પછી ક્યારેય પણ ઘર છોડીને નહીં જાય તેમજ આત્મહત્યા વિશે ક્યારેય પણ નહીં વિચારે અને તેઓ દાદા દાદી તેમજ ફઈ સાથે પ્રેમથી રહેશે તેથી દાદા દાદી તેમજ ફઈ ખૂબ જ ખુશ થયેલ અને 181 અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો

@___________________

BGB

gov.accre. Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!