સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક મહાસંમેલન યોજવામાં આવ્યું
સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક મહાસંમેલન યોજવામાં આવ્યું
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા” પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને વેપારી સંમેલન”એપીએમસી સરદાર હોલ ખાતે યોજાયુ હતું જેમાં પ્રદેશ પ્રવકતા ડૉ.હિતેન્દ્રભાઇ પટેલે કેન્દ્ર સરકારના નવ વર્ષના શાસનની સિદ્ધિઓ વર્ણવી જણાવ્યું કે આપણી ફરજ છે કે આપણી આજુબાજુના નાનામાં નાના વ્યક્તિને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવો જોઈએ સરકારનો વહીવટ પારદર્શક છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષના પડખે રહેવા આહવાન કર્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, મોહનભાઈ પટેલ, ભાનુમતીબેન મકવાણા, તાલુકા
ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, નગરપાલિકાના સદસ્યો,માર્કેટયાર્ડના ડિરેક્ટર, મોટી સંખ્યામાં વેપારીઓ, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક વિષ્ણુભાઈ પટેલ (ચેરમેન એપીએમસી), ભરતભાઈ મોદી(સંયોજક), સહ સંયોજક જે ડી પટેલ, બાબુભાઈ પટેલ (સહ સંયોજક) વગેરેએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યાએ તેમજ આભાર વિધિ મહામંત્રી દશરથભાઈ પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન તાલુકા મહામંત્રી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.સર્વે માટે ભોજનની વ્યવસ્થા હસમુખભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી.
*વાત્સલ્યમ દૈનિક સમાચાર*
*બળવંત રાણા, સિદ્ધપુર*