મુંદરાની અદાણી પબ્લિક સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે ૨૫ વર્ષની ભવ્ય સફર પૂર્ણ કરી : રજત જયંતિના અવસરે ડૉ. પ્રીતિ અદાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છનું સૌથી મોટું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક ઓડિટોરિયમ લોકાર્પણ કરાયું
કચ્છના શૈક્ષણિક પરિવર્તનનું જીવંત ઉદાહરણ : ૨૩૩ થી ૨૩૦૦ વિદ્યાર્થીઓ સુધીની સફર - વિદ્યાર્થીઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા : અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાની અદાણી પબ્લિક સ્કૂલે શિક્ષણ ક્ષેત્રે ૨૫ વર્ષની ભવ્ય સફર પૂર્ણ કરી : રજત જયંતિના અવસરે ડૉ. પ્રીતિ અદાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છનું સૌથી મોટું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક ઓડિટોરિયમ લોકાર્પણ કરાયું
કચ્છના શૈક્ષણિક પરિવર્તનનું જીવંત ઉદાહરણ : ૨૩૩ થી ૨૩૦૦ વિદ્યાર્થીઓ સુધીની સફર – વિદ્યાર્થીઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા : અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી
મુંદરા (કચ્છ): ૨૮ એપ્રિલ, ૨૦૨૬
કચ્છના શૈક્ષણિક ફલક પર વિશિષ્ટ ઓળખ ધરાવતી મુંદરા સ્થિત અદાણી પબ્લિક સ્કૂલ (APS) એ આજે તેના ૨૫ સફળ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘રજત જયંતિ મહોત્સવ’ની તેહદીલથી ઉજવણી કરી હતી. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણ ગૌરવભેર સહભાગી થયા હતા.
શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ: નવા સંકૂલોનું લોકાર્પણ :
આ ઐતિહાસિક અવસરે શાળાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે કચ્છના સૌથી મોટા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંકૂલમાં બેડમિન્ટન, પિકબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, ૫૫૮ બેઠકોની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઓડિટોરિયમ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે.
કચ્છના કાંઠે જન્મેલો એક વિચાર ‘દરેક બાળક દુનિયા માટે બારી ખોલવાની ક્ષમતા ધરાવે છે’ : ડૉ. પ્રીતિ અદાણી
૨૦૦૧ના ભૂકંપ બાદ કચ્છમાં ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાના ઉમદા વિચાર સાથે ડૉ. પ્રીતિ અદાણીએ આ શાળાની પરિકલ્પના કરી હતી. આજે ૨૫ વર્ષ બાદ આ વિચાર એક ઘટાદાર વૃક્ષ બનીને શિક્ષણ સમુદાય માટે આશાનો સ્ત્રોત બન્યો છે. આ પ્રસંગે ડૉ. પ્રીતિ અદાણીએ લાગણીસભર સંબોધનમાં જણાવ્યું હતું કે “કચ્છના દરિયાકાંઠે જન્મેલો એક સરળ વિચાર કે ‘દરેક બાળક દુનિયા માટે બારી ખોલવાની ક્ષમતા ધરાવે છે’, તે આજે દેદીપ્યમાન દીવો બનીને સમાજને પ્રકાશિત કરી રહ્યો છે.” તેમણે આ સફળતાનો શ્રેય સમર્પિત શિક્ષકો અને વિશ્વાસ મૂકનાર વાલીઓને આપ્યો હતો.
શ્રી ગૌતમ અદાણીનો સંદેશ: ‘ભારતના ઉજ્જવળ ભવિષ્યનું વચન’
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ સીમાચિહ્નરૂપ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અદાણી પબ્લિક સ્કૂલ માત્ર એક સંસ્થા નથી, પરંતુ હજારો બાળકોના સપનાઓનું સાકાર બિંદુ છે. અહીંનો દરેક બાળક ભારતના ઉજ્જવળ ભવિષ્યના વચન સમાન છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ”અહીંથી જનાર દરેક વિદ્યાર્થી અમર્યાદિત સપના જોવાની હિંમત અને સમાજને પરત આપવાની નમ્રતા સાથે આગળ વધે.”
ઉજવણીના આકર્ષણો :
સ્વાગત: બેગપાઇપર બેન્ડ અને NCC કેડેટ્સ દ્વારા ભવ્ય પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન: STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) અને રોબોટિક્સ પ્રદર્શનો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
સ્મૃતિ ગ્રંથ: સંસ્થાની ૨૫ વર્ષની સફર આલેખતી એક ખાસ ડોક્યુમેન્ટરી ફિલ્મ અને ‘કોફી ટેબલ બુક’ (સ્મરણિકા) નું વિમોચન કરાયું હતું.
વિકાસ ગાથા: માત્ર ૨૩૩ વિદ્યાર્થીઓ અને ૨૭ શિક્ષકોથી શરૂ થયેલી આ સંસ્થા આજે ૨,૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦ થી વધુ શિક્ષકોના પરિવાર સાથે કચ્છની અગ્રણી શૈક્ષણિક સંસ્થા બની છે.
અદાણી ફાઉન્ડેશનનું રાષ્ટ્રીય પ્રદાન :
અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન દેશભરમાં ૩૫ અદાણી પબ્લિક સ્કૂલ અને ૪ અદાણી વિદ્યા મંદિર સહિત કુલ ૪૩ થી વધુ શાળાઓનું નેટવર્ક ધરાવે છે. ૨૨ રાજ્યોના ૭,૨૪૭ ગામોમાં કાર્યરત આ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સામુદાયિક વિકાસ દ્વારા ૧.૩ કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે.
કાર્યક્રમના અંતે ડૉ. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી જુની યાદો તાજી કરી હતી. કાર્યક્રમનું સમાપન શાળાના ગીત અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં થયું હતું, જેણે આવનારા ૨૫ વર્ષો માટે એક નવા હેતુ અને સંકલ્પની પુષ્ટિ કરી હતી.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



