DASADASURENDRANAGAR

હથિયાર ધારાના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લીધો.

તા.27/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ઈન્ચાર્જ એસ.પી એચ.પી.દોશી એ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા એએસઆઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહનાઓએ ઝીંઝુવાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી અબ્દુલભઈ નાનુભાઈ કુરેશી જાતે ડફેર ઉ.30 ધંધો ખેતી મુળ રહે.સરખેજ ફતેવાડી તળાવ પાસે છાપરામાં હાલ રહે. નગવાડાથી સાવણી વચ્ચે પોતાના છાપરામાં તા.દશાડા જિ.સુરેન્દ્રનગર વાળાને નગવાડાથી સાવણી ગામ તરફ જતા કાળી વેલી તળાવ પાસે થી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુકની કિ.રૂ.2500 સાથે પકડી પાડેલ છે મજકુર ઇસમ વિરૂધ્ધમાં ઝીંઝુવાડા પો.સ્ટે.માં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!