લીલીયા મહાલ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમૃતબા વિદ્યાલય અને શ્રીમતી શાંતા બહેન કન્યા વિદ્યાલય ખાતે આજે ધોરણ 10 અને12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ કરવામાં આવેલ આ તકે સ્થાનિક મામલતદાર પંકજભાઈ બારૈયા, PSI એસ.આર.ગોહિલ કેન્દ્ર સંચાલક હસમુખભાઈ કરડ આચાર્ય રંજનબેન રાદડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ સોની સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓના મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી બધા વિદ્યાર્થીઓને CCTV કેમેરા થી સજ્જ વર્ગખંડમાં પ્રવેશ આપ્યો હતો ત્યાં શાંતિમય વાતાવરણમાં પરીક્ષા નો આરંભ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર હનીફ કાતીયાર