વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
04/09/2023ના રોજ આર્ટ્સ કોલેજ ફતેપુરામાં NSS વિભાગ દ્વારા NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત NSSનું લક્ષ્યગીત ગાઈને કરવામાં આવી હતી. કોલેજનાં કા.આચાર્યશ્રી ડૉ.મનહરભાઈ ચરપોટ દ્વારા NSSમાં નવા જોડાયેલા સ્વયંસેવકોને શુભેચ્છા આપવામાં આવી હતી. NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉ. દેશળરાજબા રાઠોડ દ્વારા NSSના હેતુઓ,પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. NSSના વર્તમાન સ્વયંસેવકોએ નવા સ્વયંસેવકોને આવકાર્યા હતા અને પોતાના અનુભવો નવા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા.