AHAVADANGGUJARAT

Dang: સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામના વિદ્યાર્થીઓએ પતંજલી યોગ વિદ્યાપીઠની મુલાકાત લીધી

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના તળેટીય વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિધ્યાર્થીઓ, શિક્ષકો, અને સ્ટાફ મળી કુલ ૧૩૦ વ્યક્તિઓ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ઉત્તર ભારતના વિવિધ સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે.

શૈક્ષણિક પ્રવાસના અંતિમ તબક્કામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હરિદ્વાર સ્થિત પતંજલિ યોગ વિદ્યાપીઠની મુલાકાત લેવામાં આવી હતી. અહિં વિદ્યાર્થીઓએ યોગગુરુ શ્રી બાબા રામદેવજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે જૂના અખાડાના આચાર્ય શ્રી મહામંડલેશ્વર સ્વામી અવધએશાનંદગીરીજી મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા.
માલેગાંવ શાળા સંકુલમા સક્રિયતાથી જોડાયેલા તથા સમગ્ર પ્રવાસના અનુદાતા શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામા આવ્યુ હતુ. શાળાના સંસ્થાપક શ્રી પી.પી.સ્વામીજી એ સમગ્ર પ્રવાસને વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય બનાવ્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!