GUJARATJUNAGADHKESHOD

સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં, શૌચાલય,માર્કેટ તેમજ મુખ્ય માર્ગમાં સફાઇ અભિયાન…

શહેરમાં કચરા વર્ગીકરણ અંગે માર્ગદર્શન તેમજ સ્વચ્છતા રથ દ્વારા સ્વચ્છતા અંગે પ્રચાર પ્રસાર...

રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ (SBD) તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા માટેના સ્વૈચ્છિક અને સામુહિક પ્રયાસોને મજબુત કરવા “સ્વચ્છતા હિ સેવા” (SHS) પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમ અંતર્ગત માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા, આસી.કમિશનરશ્રી જયેશભાઈ પી વાજા તથા સેક્રેટરીશ્રી અને આસી.કમિશનર(ટેક્ષ) તથા સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી કલ્પેશભાઈ જી ટોલીયાના માર્ગદર્શન મુજબ સેનિ.સુપરવાઈઝર શ્રી મનીષ ભાઈ દોશી,રાજેશભાઈ ત્રિવેદી,ધર્મેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરુ કરવામાં આવેલ,જેમાં આજ રોજ તા:૨૨/૧૦/૨૦૨૪ના રોજ શહેરના વોર્ડ નં.૧ થી ૧૫ મા આવેલ શૌચાલયો,શહેરના મુખ્ય માર્ગોની સફાઈ તેમજ મહાનગર પાલિકા,જૂનાગઢની ઓફિસ તેમજ વોર્ડ નં.૦૧ થી ૧૫માં રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવેલ તેમજ વોર્ડ નં ૦૧ માં સરગવાડા તેમજ આસપાસના વિસ્તારમાં સ્વછતા રથ દ્વારા કચરાનું વર્ગીકરણ અને પ્રતિબંધીત પ્લાસ્ટિક માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્રચાર પ્રસાર અર્થે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!