DAHODGUJARAT

સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી 

તા. ૨૨. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. અનાથ, અપંગ અને અતિગરીબ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાના અધ્યક્ષસ્થાને આજે તાલીમ વર્ગ સંજેલી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ તાલીમ વર્ગના બાળકોએ ગુરુ મંત્ર થી શરૂવાત કરી હતી ત્યારબાદ વિધાર્થીઓએ ગુરુ પૂજન કર્યું હતું. બાળકોને ગુરુનું મહત્વ અને સ્થાન સમજાવ્યું હતું. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે ઉમંગભેર ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!