GODHARAGUJARATPANCHMAHAL

સગાઈ કરી લગ્ન કરવાની ના પાડતા તણાવમાં આવી યુવતી નદી પાસે આપઘાત કરવા જતા પંચમહાલ ગોધરા અભયમ ટીમ મદદે

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના મોરવા હ તાલુકના નજીકના વિસ્તારમાંથી જયાબેન દ્વારા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ આવતા જણાવેલ કે મારી સાગાઇ થઈ હતી. લગ્નની તારીખ નજીક આવતા છોકરા પક્ષનાં લોકોએ લગ્ન કરવાની ના પાડી દીધી. જેથી મને કઈ પણ સમજ પડતી ન હોવાથી હું પાનમ નદીના કિનારે આવી ગઈ છું અને મને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવે છે.
પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી જયાબેન સાથે વાતચીત કરતાં તેમને જણાવેલ કે મારી સગાઈ 8 મહિના પહેલા સમાજના રિતિરીવાજ મુજબ કરવામાં આવી હતી. હું હોસ્પિટલ માં નોકરી કરતી હતી.સગાઈ બાદ મને છોકરાપક્ષ વાળાએ નોકરી છોડાવી દીધેલ. તેમજ મારી સગાઈ જે છોકરા સાથે કરી હતી તે નોકરી કરતા હોવાથી મારાં પરિવારજનોએ પણ મને તેમાં સેહમતી આપી અને મેં નોકરી છોડી દીધી. ત્યાર બાદ બધું સારી રીતે ચાલતું હતું. તે લોકો મારાં ઘરે પ્રંસગ માં તેમજ તહેવારો માં આવતા હતાં. તેમજ જે છોકરા સાથે સગાઈ થઈ હતી તે જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં સાથે પણ મને લઇ ગયા હતાં. અને હું ત્યાં અંદાજે 10 દિવસ તેમની સાથે રહી હતી. ત્યારબાદ મારાં મમ્મી પપ્પાએ લગ્ન ની તારીખ નક્કી કરવા જાણ કરી પહેલા તો તે લોકો સરખો જવાબ આપતાં ન હતાં. છેવટે બંને પક્ષની સેહમતિથી લગ્નની તારીખ નક્કી થઈ. હવે લગ્ન ની તૈયારીઓ પણ થઈ ગઈ અને લગ્નને 10 દિવસ બાકી હતાં. ત્યાં છોકરાપક્ષ વાળાએ લગ્ન કરવાની ના પાડી દીધી. જેને લગ્ન માં સબંધ કરાયો હતો તે લોકો અને મારાં પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા તે સરખો જવાબ આપતાં ન હતાં. મારાં પરિવારજનો તણાવમાં હતાં. અને સમજમાં બધા સગાઈ તૂટી જવાનુ કારણ પૂછતાં હતાં. મને કઈ પણ સમજ પડતી ન હતી. જેથી તણાવમાં આવી હું ઘરે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી નીકળી આવી છું. તેમજ હવે કંઈપણ સમજાતું નથી અને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવે છે.181 ટીમ દ્વારા જયાબેનને સત્વના આપી અને તેમનું અસરકારક કાઉન્સિલીગ કરી તેમને સમજાવ્યા કે આત્મહતા એ સમસ્યાનું સમાધાન નથી દરેક સમસ્યાનું નિરાકરણ સમજાવવાથી આવી શકે છે તેવી સમજ આપી. તેમજ કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું. તેમજ તેમના પરિવારજનો ને પણ જાણ કરી .તે લોકો જયાબેનને શોધવા માટે ગયા હતાં ત્યાંથી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા.181 ટીમ દ્વારા જયાબેન તેમજ તેમના પરિવાર જનોને માહિતી માર્ગદર્શન આપ્યું અને આ રીતે તણાવમાં આવી ગલત પગલાં ન લેવા સલાહ આપી. જયાબેનને તેમની ભૂલ સમજાઈ અને બાંહેધરી આપી કે આજ પછી હું આત્મહત્યા ના વિચારો નહિ લાવું. તેમજ તણાવમાં આવી મારાં પરિવાર જનોને જાણ કર્યા વિના ઘર છોડીને નહિ નીકળું. જેથી 181 ટીમ દ્વારા સહીસલામત જયાબેનને તેમના પરિવારજનોને સોંપ્યા. જયાબેનના પરિવારજનો એ પણ પોતાની દીકરી સાહિસલામત મળતા આનંદની લાગણી અનુભવી. તેમજ 181 ટીમ દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવા બદલ અને સલાહ સૂચન માર્ગદર્શન આપવા બદલ 181 ટીમ નો આભાર વ્યકત કર્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!