SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ઘરનું ઘર આપવામાં નિષ્ફળ સરકાર ગરીબના આવાસને તોડવા નોટીસો ફટકારે છે – અમૃત મકવાણા

તા.10/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ભોગાવો નદીનાં કાંઠે વસવાટ કરતાં ગરીબ મજૂર વર્ગનાં લોકોને મકાનોને ગેરકાયદેસર બાંધકામની નોટીસો આપવામાં આવી છે શીવ હોટલ સામે અને સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા મેલડીમાં પરામા આદર્શનગર, નકલંકપરા અને મહર્ષિ હોસ્પિટલ પાછળના મફતીયા પરામાં વસવાટ કરતાં કોળી, માલધારી, દેવીપૂજક અને લઘુમતી સમાજના ૩૦૦થી વધુ પરીવારના શ્રમજીવીઓને સરકારી જમીન પર બીન અધિકૃત બાંધકામ દબાણ દૂર કરવા સંદર્ભે નોટીસો ફટકારવામાં આવી છે કાળી મજૂરી કરી મહામહેનતે કાચાં પાકાં મકાનો બનાવી રહે છે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ ધરાવે છે વેરાઓ ભરે છે છતાં આટલાં વર્ષો પછી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી તંત્રને ધ્યાન પર આવ્યું છે ત્યારે આવા અને ગેરકાયદેસર દબાણો છે જે ધાર્મિક સ્થળો છે ત્યાં કોઈ નોટીસ નથી આપતાં પરંતુ નાનાં અને ગરીબ લોકોને તત્કાલીન નોટીસો આપી છે મામલતદાર, ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે જોઈએ છીએ શું થાય છે અન્યથા આ ગરીબ મજબૂર લોકો રોડ ઉપર ઉતરશે ત્યારે તંત્રના ધજાગરા થશે તેવું અમૃત મકવાણાએ જણાવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!