SIDHPUR

સિદ્ધપુરમાં ડૉ.ચેતનભાઈ પ્રજાપતિની નવીન આશિર્વાદ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો*

*સિદ્ધપુરમાં ડૉ.ચેતનભાઈ પ્રજાપતિની નવીન આશિર્વાદ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો*

 

વ્રિંદા કલીનિકના ડૉ. બિપીનભાઈ પ્રજાપતિના નાનાભાઈ, સિધ્ધપુર નગરપાલિકા લાઈટ કમીટીના ચેરમેન શ્રીમતી મીનાબેન પ્રજાપતિના સુપુત્ર અને અમદાવાદ સિવિલ, સિધ્ધપુર સિવિલ, ગોકુલ હોસ્પિટલ જેવી જાણીતી હોસ્પિટલો ખાતે સેવાઓ આપી દર્દીઓની ઉત્તમ સારવાર દ્વારા લોકચાહના મેળવનાર કન્સલ્ટન્ટ એમ.ડી. ફિજીશિયન ડૉ. ચેતનભાઈ પ્રજાપતિ (MBBS, MD, પલ્મનોલોજીસ્ટ) દ્વારા સિધ્ધપુર પંથકની જનતાની સેવામાં બસસ્ટેશનથી નજીક સિધ્ધપુરના મધ્યમાં રેલ્વેસ્ટેશન સામે રોકડીયા હનુમાનજી મંદિર પાસે પોતાની આશિર્વાદ હોસ્પિટલનો તા. ૨૫ જૂનને રવિવારના રોજ શુભારંભ કરેલ છે. રાજ્યના ઉદ્યોગમંત્રી અને સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહજી રાજપૂતે આ પ્રસંગે રૂબરૂ ઉપસ્થિત રહીને ડૉ. ચેતનભાઈ પ્રજાપતિ અને પરીવારને શુભેચ્છાઓ પાઠવી હતી. શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા સહીત ભાજપના પદાધિકારીઓ, આમંત્રીત મહેમાનો, નગરના અગ્રણીઓ, તબીબો વિગેરે શુભકામનાઓ પાઠવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!