CHUDAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો.

તા.09/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના વરદહસ્તે મિલેટ મેળો ખુલ્લો મુકાયો.

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ અને મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં સમસ્ત સતવારા સમાજની વાડી, હરીનગરના બગીચા પાસે, થાનગઢ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ સહિતના મહાનુભાવોના વરદહસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે નિષ્ણાતો દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સરદાર પટેલ પુરસ્કાર યોજના,ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજના, પ્રાકૃતિક ખેતી અને ગાય આધારીત ખેતી તેમજ રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ સહિત મિલેટ ધાન્યના મહત્વ વિષે ખેડૂતોને વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ સોનગરા તેમજ ચતુરભાઈ મકવાણા દ્વારા હલકા ધાન્ય પાકોના ફાયદા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહીતી પૂરી પાડવામા આવી હતી આ મેળામાં વિવિધ વિભાગ દ્વારા અધ્યતન યોજનાકીય માહીતી સાથે સ્ટોલનુ પ્રદર્શન કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમાં થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખ પુનાબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય હંસાબેન જવેરભાઈ ઝાલા, નાગજીભાઈ,તાલુકા વિકાસ અધિકારી બોરીચા બેન,મદદનીશ ખેતી નિયામક એલ. એ.ઠાકોર,થાનગઢ વિસ્તરણ અધિકારી જી.ડી. પરમાર, ચોટીલા તેમજ મુળી તાલુકાના ગ્રામસેવકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!