DASADAGUJARATSURENDRANAGAR

ખારાઘોડા ફેક્ટરીમાં ટેન્કરમાં વેલ્ડિંગ કરતી સમયે બ્લાસ્ટ બાદ આગ લાગતા ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા

એકની હાલત ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો.

તા.06/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એકની હાલત ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે મીઠાની એક ફેક્ટરીમાં મોડી સાંજે ટેન્કરમાં વેલ્ડિંગ કરતી સમયે બ્લાસ્ટ બાદ આગ લાગતા ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ફેક્ટરીમાં દોડી ગયા હતા જ્યારે આ ઘટનાના પગલે પાટડી નગરપાલિકાના ફાયર ફાઇટરે તાકીદે ખારાઘોડા ફેક્ટરી ખાતે દોડી જઈ બે કલાકની ભારે જહેમત આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી જેમાં ફેક્ટરીમાં ટેન્કરમાં વેલ્ડિંગ કરતી સમયે ભયાનક બ્લાસ્ટ બાદ આગ લાગતા ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા જેમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝતા તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી દવાખાને લઈ જવાયા હતા જેમાં બે યુવાનોને વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં બકુલ પ્રહલાદભાઈ થરેચા ઉંમર 24 વર્ષ નામના યુવાનની હાલત 80 થી 90 % દાઝી જવાથી નાજૂક જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાના પગલે પાટડી પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે ફેક્ટરીના માલિકો પણ તાકીદે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!