GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો

હિંમતનગર ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો

**********

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચુંટણી અધિકારી અને ક્લેક્ટરશ્રી નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ કાટવાડ ખાતે “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. લોકસભા ચૂંટણી-૨૦૨૪ માં સાબરકાંઠા જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે તે માટે લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ટ્રાન્સજેન્ડર સમુદાયની ચુંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી સુમાહિતગાર થાય તે આશયથી પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામકશ્રી (અ.જા), મદદનીશ પી.ડબલ્યુ.ડી નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા દ્વારા આયોજીત “ટ્રાન્સજેન્ડર મતદાર જાગૃતિ કાર્યક્રમ” ટ્રાન્સજેન્ડર સમુદાયના નિવાસ સ્થાને યોજાયો હતો. જેમાં “ટ્રાન્સજેન્ડર” મતદારોને મતદાન પ્રક્રિયા અંગે સમજ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૫ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોએ આ વખતની યોજાનાર ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!