GUJARATNARMADATILAKWADA

વાડીયા (કાલાઘોડા) ગામે ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો દીપડા એ કર્યો શિકાર. પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ઉઠી લોક માંગ

વાડીયા (કાલાઘોડા) ગામે ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો દીપડા એ કર્યો શિકાર. પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવા માટે ઉઠી લોક માંગ

રિપોર્ટર વસિમ મેમણ : તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનું શિકાર કરેલ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. અને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

ઉલ્લેખની એ છે કે તિલકવાડા તાલુકા માં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે અને અવાર નવાર આ જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ બનતી હોય છે હાલ થોડા સમય પહેલા રોઝાનાર ગામે અને ત્યાર બાદ વંઢ ગામે દીપડાએ પાડી નો શિકાર કરવાની ઘટના બની હતી ત્યાર બાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરેલ હોવાની પણ ઘટના બની હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં તિલકવાડા તાલુકાના વાડિયા ( કાલાઘોડા) ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીને ગત રોજ રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. હાલ આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય તે રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!