વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વરસેલા વરસાદથી નદી-નાળા,તળાવો છલકાય જવા પામ્યા છે. વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન બે ડેમ આવેલા છે. જેમાં એક કેલિયા ડેમ અને બીજો જૂજ ડેમ આવેલો છે.
જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે થોડા સમય પહેલા કેલિયા ડેમ પણ ઓવરફલો થયો છે. અને આજે જૂજ ડેમ પણ ઓવરફલો થયેલો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જૂજ ડેમથી પ્રભાવિત થતા ગામોમાં વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકામાં દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, ઘેકટી, વંકાલ (વ.ફળિયા), ગણદેવી તાલુકામાં ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા ગામોનો ગામોનો સમાવેશ થાય છે.
હાલમાં જૂજ ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૬૭.૫૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૬૭.૫૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જૂજ યોજના માટિયાર બંધ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.