NAVSARI

ગુજરાતમાં હિટ વેવની આગાહીના પગલે પોતાનું આરોગ્ય તથા પશુપક્ષીઓને”લૂ થી બચાવા”કેટલાક ઉપાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે.

*આટલું કરો*

રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગે ના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષે ની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

વાઈ,હ્ર્દય,કીડની કે યકુત સંબધિ બિમારી થી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીર માં પ્રવાહિ નો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહિ લેતા પહેલા ડૉકટર ની સલાહ લેવી.

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ  અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી,ભાત નુ ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો.આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચા ના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વ્રુદ્ધો,બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લુ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે.તેમની વિશેષ કાળજી લો.

*કામદાર અને નોકરીદાતા માટે  : આટલું કરો*

કાર્ય ના સ્થળે પીવા ના ઠંડા પાણીની વ્યવસ્થા કરો.તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફ ના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો.
બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યા સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો.
આપના  કાર્યાલય કે રહેઠાણ ના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો,કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો.
જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘર ના કોઈ સદ્સ્ય ને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.

*ઘરને શીતળ રાખવા માટે : આટલું કરો*

ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હ્વાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો.સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશ ને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો.ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો,લીલા રંગના છાપરા,ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એયર કંડીશનર નુ તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું  કરશે અને સાથે તમારી સ્વસ્થતા નું પણ ધ્યાન રાખશે.નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલ ને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમી ને રોક્શે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલ ને રંગવા માટે ચુનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામ ના નિશ્રાંત ની સલાહ લો.

*લુ લાગેલ વ્યક્તિની સારવાર*

ભીના કપડા નો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.શરીર માં પાણી નું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહિ આપો.વ્યક્તિ ને તાત્કાલિક નજીક ના સ્વાસ્થ્ય કેંદ્ર ઉપર લઈ જાવ.જો શરીરનુ તાપમાન એક્ધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય.ચક્કર આવતા હોય. નબળાઈ હોય,ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

*આટલુ ન કરો.*

બપોર ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકા માં ન જાવ,જ્યારે તમે બપોરના બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવુત્તિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ.આ સમયે રસોઈ ન કરો રસોડામાં હ્વાની અવર જવર માટે બારી બારણા ખુલ્લા રાખો. શરીર માથી પાણીનુ પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ,ચા,કોફી,સોફટ
ડ્રીક્સ ન લો,પ્રોટીન ની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા  મીઠા વાળા આહાર ને ત્યજો.

*કૃષિ વિષયક: આટલુ કરો.*

ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો.નિદામણ કરી ને જમીન ના ભેજ નું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લર થી સિંચાઈ કરો.

*પશુપાલન -આટલુ કરો*

પશુઓ ને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુસ્કળ પ્રમાણમાં આપો.તેમની પાસે થી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનુ તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ઘાસ ની ગંજી થી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો,પાણીનો છટકાવ કરો કે, ફોગસ લગાવો બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છટકાવ કરો અથવા પશુ ને પાણી ના હવાડા નજીક લઈ જઈ જાવડઅહારમાં તેમને લીલો ચારો આપો.પ્રોટીન્ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી મ પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ.મરઘા ઉછેર કેંદ્ર માં પડદા લગાવો અને હવા ઉજાસ ની યોગ્ય વ્યવ્સ્થા કરો.

*આટલુ ન કરો*

બપોર ના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!