ભારતીય ગૃહમંત્રાલયના મિનિસ્ટર અજય કુમાર મિશ્રાનું કાપડ વેપારીઓને સંબોધન
હિતેન્દ્રગીરી ગોસાઈ
અમદાવાદ
ભારત ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અજયકુમાર મિશ્રાએ અમદાવાદના સમગ્ર કાપડ બજારના વેપારીઓની મુલાકાત માટે આવેલ. જેઓના સ્વાગત માટે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું. ઉપસ્થિત મેહમાનોમાં લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા અને કોર્પોરેટરો તથા આમંત્રિત મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી. અજયકુમાર મિશ્રાએ ભારતના સમાન અને સંસ્કૃતિ વિશે વાત કરેલ અને રામ મંદિર ના ઉદ્ઘાટન નિમિતે વડાપ્રધાન દ્વારા 11 દિવસના ઉપવાસ કરેલ તેનું પણ અનુષ્ઠાન કરેલ અને દુનિયામાં ભારતની યોગ્યતા ક્ષમતા પણ જણાવી અને ભારત દેશમાં સનાતન પરંપરા છે અને વિશ્વ કલ્યાણ માટે વોટ આપવો એમ પણ જણાવેલ. ત્યાર બાદ વેપારીઓ દ્વારા MSME માં જે મૂંઝવણ છે તેનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવેલ અને MSME ના કાયદાને થોડો એટલી કે એકાદ વર્ષનો સમય આપવા પણ વિનંતી કરેલ.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.