આણંદ જિલ્લામાં વર્ષ-૨૦૨૩ના જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક જાહેર કરાયા
જિલ્લા કક્ષાએ ૦૪ અને તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકોની પસંદગી
આણંદ, શનિવાર :: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ રાજય-જિલ્લા અને તાલુકા કક્ષાએ વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં આગામી તા.૫મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા કક્ષાએ ૪ શિક્ષકો અને તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકોની પસંદગી થવા પામી છે.
જિલ્લા કક્ષાએ પસંદ થયેલ ૪ શિક્ષકોમાં આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામની નાપાડ વાંટા કુમાર શાળાના શ્રી શ્રધ્ધા ગોવિંદકુમાર ભાવસાર, ખંભાત તાલુકાના મેતપુર ગામની શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલના શ્રી કિશોરકુમાર વજેશંકર ભટ્ટ, ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની અંજુમન હાઈસ્કુલના શ્રી ઈસ્માઈલભાઈ રસુલભાઈ મનસુરી અને આણંદ તાલુકાના ગોપાલપુરા ગામની ગોપાલપુરા પ્રાથમિક શાળાના શ્રી શેલિનબેન ભગવાનદાસ ડાભીનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે તાલુકા કક્ષાએ પસંદ થયેલ ૧૧ શિક્ષકોમાં આણંદ શહેરની નગર પ્રાથમિક શાળા નં-3 ના શ્રી બિનલબેન નગીનભાઈ મેકવાન, આણંદ તાલુકાના હાડગુડ ગામની પ્રાથમિક ગુજરાતી શાળાના શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલ, ખંભાત તાલુકાના શક્કરપુરા ગામની શ્રીમતી એમ.એચ પટેલ પ્રાથમિક શાળાના શ્રી દિપકકુમાર પ્રવિણલાલ પટેલ, ખંભાત તાલુકાના નગરા ગામની નગરા કુમાર શાળાના શ્રી કાનજીભાઈ ગોવિંદભાઈ ભરવાડ, આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામની પ્રાથમિક શાળા અક્ષરપુરાનાના શ્રી બિનલબેન નારાયણભાઈ પટેલ, તારાપુર તાલુકાના ચાંગડા ગામની ચાંગડા પ્રાથમિક શાળાના શ્રી જયેન્દ્રકુમાર શિવાભાઈ પટેલ, બોરસદ તાલુકાના બોચાસણ ગામની પ્રાથમિક શાળાના શ્રી સંદીપકુમાર જશભાઈ પટેલ, બોરસદ તાલુકાના વાછીયેલ ગામની પ્રાથમિક શાળાના શ્રી વિકાસકુમાર કનુભાઈ પારેખ, પેટલાદ તાલુકાના રાવલી ગામની પ્રાથમિક શાળાના શ્રી કોમલબેન અરવિંદકુમાર રાણા, પેટલાદ તાલુકાના પોરડા ગામની પ્રાથમિક શાળાના શ્રી સિદ્ધિ પ્રફુલચંદ્ર પટેલ અને ઉમરેઠ તાલુકના ભરોડા ગામની પ્રાથમિક શાળાના શ્રી દિવ્યાબેન અર્જુનસિંહ છાસટીયાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.