BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચ ખાતે બી. આર. સી. ભવનના સંકુલમાં રત્નનિધી ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ અન્વયે મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા લેવડાવાઈ
ભરૂચ- બુધવાર- દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજરોજ બી આર સી ભવન ભરૂચ ખાતે રત્નનિધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિવિધ સાધનોની સુવિધા આપવાના કેમ્પમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વધુ મતદાન થાય તે માટે સમજ આપવામાં આવી. મતદાન સંકલ્પ અને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.